કારકિર્દીલક્ષી સેમિનાર...
આજરોજ તારીખ 17.1.24 ના રોજ AIIMS કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે શ્રી ફારૂકભાઈ મલેકની આગેવાનીમાં ત્રણ ફેકલ્ટીની ટીમ શાળામાં પધારીને પ્રથમ પ્રાર્થના સભામાં અને બાદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ સાથે પ્રવચન, પ્રશ્નોત્તરી, ગૃપ ચર્ચા થકી ધોરણ 12 પછી કઈ લાઈનમાં આગળ અભ્યાસ કરી શકાય, એ વિષે ખૂબ જ રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. શાળા પરિવાર વતી આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે આ ટીમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. સુપરવાઈઝર શ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ આભારવિધિ કરી હતી.