શીલી ખાતે શાળાનું પ્રદર્શન...
શ્રી સિદ્ધનાથ વિદ્યાલય શીલી ખાતે આજ રોજ "૨૧ મી સદી ના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધી" વિષયક વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં આપણી શાળામાંથી બે વિધ્યાર્થીઓ... 1. ભરવાડ મૌલિક વસંતભાઈ 2. ગોહેલ રણજીત માનસિંહે ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોની સંખ્યા વધારે અને સ્પર્ધામાં કાંટે કી ટક્કર હોવા છતાં સુંદર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ બન્ને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમની સાથે ગયેલાં શ્રી કે.બી.ગાંવિત સર અને આચાર્યશ્રી જે.આઈ.પરમારે આ બન્ને વિધ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં. સંકલન અને રજૂઆત :- આચાર્યશ્રી જે.આઈ.પરમાર