ધોરણ 9 અને ધોરણ 11 ના બાળકોને શાળામાં મોકલવા અંગે...
સરકારશ્રીએ તારીખ 1.2.2021 થી શાળામાં ધોરણ 9 અને 11 ના વર્ગો ચાલુ કરવાની જાહેરાત કરી છે એ સંદર્ભે... S.O.P માતા પિતા / વાલી માતા- પિતા / વાલી નીચે પ્રમાણેનાં પગલાં લેવાનાં જ છે. 1. જો તેઓ પોતાના બાળકને શાળાએ મોકલવા ઈચ્છતા હોય તો લે ખિત સંમતિ આપે . આ માટે સંમતિ પત્રક ભરીને ફરજીયાત જમા કરાવવાનું રહેશે. સંમતિ પત્રક વગર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 2.બાળકને શાળામાં મોકલો તો એની ચકાસણી કરો કે તમારૂ બાળક માસ્ક પહેરીને જ શાળાએ જાય અને બીજા સાથે એની અદલાબદલી ન કરે. માસ્ક ઘેર પણ બનાવી શકાય . ઘેર બનાવેલા માસ્ક ને સાબુથી ધોઈને ફરી વાપરી શકાય . ડિસ્પોઝલ ફેસ માસ્કનો નિકાલ સલામત પણે કરવો અથવા કરાવવાનો રહેશે . ૩ . જાહેર જગ્યાના સપંર્કમાં ઓછા આવે તે માટે પોતાના પાલ્યને આખી બાંય ના કપડાં પહેરવા પ્રોત્સાહિત કરવાં . 4. જો બાળક સ્વસ્થતા ન અનુભવતું હોય તો માતા પિતા તેમના પાલ્યને શાળાએ ન મોકલે એ ઈચ્છનીય છે. 5. શક્ય હોય ત્યાં સુધી