ધોરણ ૧૧ એન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ
ઉ મરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માંથી તારીખ ૨૪-૧૨-૨૦૧૯ ના ધોરણ ૧૧ એન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ પોલો ના જંગલો અને શામળાજી ખાતે નો યોજાયો હતો. જેનો લાભ ત્રીસ વિદ્યાર્થીઓએ લીધો હતો. જેનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે. પ્રવાસ અહેવાલ પોલો ના જંગલો અને શામળાજી તારીખ ૨૪-૧૨-૨૦૧૯ ના રોજ સવારે ૫:૩૦ કલાકે અમે સૌ સિકોતર માતાના મંદિરે ભેગા થયા.બધા વિદ્યાર્થીઓં અને શિક્ષકો આવી ગયા પછી રણછોડરાયનું નામ લઈને અમે ૬:૦૦ કલાકે શામળાજી જવા નીકળ્યા. બધા વિદ્યાર્થીઓં આ પ્રવાસનો આનંદ માણવા માટે ખુબજ ઉત્સુક હતા.બસમાં બધાએ શરૂઆતથી જ ડાન્સ ચાલુ કર્યો,મસ્તી કરી અને લગભગ ૧૦:૦૦ કલાકે અમે શામળાજી પહોચ્યા.ત્યાંનું મંદિર એટલું અદભુત હતું. મંદિરની કોતરણી પણ એટલી અદભુત હતી કે તેની કલ્પના પણ ન કરી શકાય.! અમે સૌએ મંદિરમાં દર્શન કર્યા, ફર્યા અને મંદિરને નિહાળ્યું. મંદિરની સ્વચ્છતાની પુરેપુરી કાળજી રાખતી હતી.દુર દુર ના પ્રવાસીઓં આ મંદિરને જોવા માટે ઉમટ્યા હતા.ત્યાંથી લગભગ ૨ કિ.મી જેટલું ચાલીને અમે એક મેશ્વો નદી પરના મેશ્વો ડેમને જોવા ગયા.ત