Independence Day Celebrations 2019
ઉમરેઠની
ઘી જ્યુબિલી ઇન્સ્ટિયૂટની શાળાના પ્રાગરણ માં 73મોં સ્વાતંત્ર્ય દિવસ
ઉજવવામાં આવ્યો હતો,આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નવનિયુક્ત આચાર્ય
જયંતીભાઈ આઈ પરમારના હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને
રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી, આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આચાર્ય અને
કાર્યક્રમના મુખ્ય મહેમાન આચાર્ય
જયંતીભાઈ આઈ પરમારે જણાવ્યું હતું કે આપણે આપણા દેશને માતા
કહીએ છીએ,માટે જ વંદે માતરમ ગાઈએ છીએ,તે સાથે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ તેઓએ
બાળકોને પ્રથમ રાષ્ટ્રભકત બનવાની સલાહ આપી હતી,અને તેમાટે પંદર જેટલી
ટિપ્સ આપી હતી.
Nice....Congratulations.
ReplyDelete