રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
ધોરણ 10 અને 12 માટે માર્ચ 2021 માટે બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓ તરીકે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ ? એ અંગે ઘણી અવઢવ ચાલતી હતી.પરંતુ આજરોજ બોર્ડ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હવે આ પરીક્ષા લેવાશે જ એમ સત્તા વાર જાહેરાત થઈ ગઈ છે.માટે આવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે "પરીક્ષા નહીં લેવાય અને માસ પ્રમોશન મળી જશે" એ ખયાલ મનમાંથી કાઢીને પરીક્ષાની તૈયારીમાં લાગી જવું. પરીક્ષાની તારીખ 15.7.21 છે.વધુ માહિતી માટે નીચેના પરિપત્રનો અભ્યાસ કરવો.આ પરીક્ષાની હોલ ટીકિટ અને પરીક્ષાના સમય પત્રક માટે રાહ જોવી.એની જાહેરાત થતાં જ આ જ પેજ પર જણાવવામાં આવશે.આ અંગે ની જાણ અન્ય મિત્રોને પણ કરશોજી.
ગૂડ લક...👍
શાળા પરિવાર
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,ઉમરેઠ.
પરીક્ષાનો કાર્યક્રમ...👇




Comments
Post a Comment