ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠમાં પ્રણાલિકા મુજબ દર શનિવારે પ્રથમ પિરીયડમાં સમૂહ કવાયત અને યોગ શિક્ષણનું આયોજન થાય છે. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી એમ.યુ.પટેલ તથા અન્ય શિક્ષકો ભેગાં મળીને વિધાર્થીઓને આ પ્રવૃત્તિઓ કરાવે છે.
આજરોજ ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન, ઉમરેઠ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના નેજાં હેઠળ કાર્યરત છે એના ઉમરેઠ શહેરના સંયોજક શ્રી વિનયભાઈ ભટ્ટના નિમંત્રણથી તથા શાળાના એન.એસ.એસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે 11 મી સપ્ટેમ્બરે યોજાતાં દિગ્વિજય દિવસ નિમિત્તે "યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી" વિષય પર એક વ્યાખ્યાન યોજાઈ ગયું. આ વ્યાખ્યાન આણંદ નિવાસી શ્રી મહેશભાઈ બી. શર્મા, એમ.સી. એમ.એડ.શ, 35 વર્ષની શૈક્ષણિક સેવાઓ, પહેલાં શિક્ષક, તરીકે પછી શિક્ષણાધિકારી, અને છેલ્લે ક્લાસ વન ડેપ્યુટી ડાયરેક્ટર, (જી આઈ ઈ ટી) ગુજરાત રાજ્ય શૈક્ષણિક ટેકનોલોજી, ભવનમાંથી નિવૃત્ત, અને હાલ બી એ પી એસની ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત તેમજ સારા વક્તા, લેખક એવા મહાનુભાવે એમની આગવી અને પ્રભાવક શૈલીમાં રજૂ કરીને સૌ વિધાર્થીઓને પ્રેરણાભિમુખ કરી દીધાં હતાં. એમનાં વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદજી ના શિકાગોની ધર્મ પરિષદના પ્રસંગની યાદ અપાવીને વિધાર્થીઓને નીડર, બુદ્ધિશાળી અને તેજસ્વી બનવાનું આહવાન કર્યું હતું. ...
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે આણંદ અને વિધ્યાનગરની ખ્યાતનામ સીવીએમ યુનિવર્સિટી દ્વારા આજરોજ શાળાના હોલમાં હેલ્થ એન્ડ હાઈજીન વિષયક એક સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનાર માટે એલસાસ કોલેજના જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના પ્રોફેસર શ્રી રજનીશજી શર્મા અને એસ.જી. હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમના સર્જરી ડીપાર્ટમેન્ટના કન્સલ્ટીંગ સર્જનશ્રી સંજયભાઈ ત્રિવેદી પધાર્યા હતાં. એમણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી વિધાર્થીઓને હેલ્થ એન્ડ હાઈજીન વિષે સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
તારીખ 12/08/2024 ના રોજ ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન, ઉમરેઠના બોઇઝ વિભાગમાં શાળાના એન.એસ.એસ.યુનિટ દ્રારા એક દિવસીય શિબિર યોજવામાં આવી. તેમાં ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન સંચાલિત પૂૂર્વ પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. તેમાં ચોમાસા દરમિયાન મેદાનમાં ઉગી નીકળેલ જથ્થાબંધ ઘાસની સફાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર સફાઈ શાળાના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર સાહેબ તથા શાળાના સુપરવાઈઝર શ્રી કે.આઈ.પટેલીયા સાહેબના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું તેમાં શાળાના એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી એન.એચ.જાદવ સાહેબ તથા અન્ય ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષકોએ સાથ અને સહકાર આપ્યો હતો. ધોરણ 11 માં ચાલુ વર્ષે આ શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થી સ્વયં સેવકોને આ પ્રકારની શિબિરનો પ્રથમ અનુભવ થતાં એમનામાં અદમ્ય આનંદ,ઉત્સાહ અને ધગશ જોવાં મળ્યાં હતાં.
Comments
Post a Comment