સુખી રહેવાના નુસખા...


૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ માટે એકાંતમાં બેસો.                           ૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ
મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો..
૬. ગયા વર્ષે કરતાં વધારે પુસ્તકો વાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.
દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
૯. દરેક વાત સમજો વિચારો પછી ઉતારો
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ
કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને
ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩.ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ પતિ/પત્નીની ભૂલો વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. સવારે હળવો નાસ્તો કરો,
રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને રાત્રે હળવું જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.ચિંતા છોડો.
૧૭. સરખામણી કરવાનું છોડો.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. માફી બક્ષો.ક્ષમા વીરસ્ય ભૂષણમ્.
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે
એવા વિચાર છોડો.મોજથી જીવન જીવો.
૨૧. ભલુ વિચારો ભગવાન ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે,બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા ઘરના તમારી સંભાળ રાખશે,માટે પરિવારને આગળ રાખો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ખરાબ મૂડ હોય,તો ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠી ને રાત્રે સુતી વખતે ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને
સગા વ્હાલાઓને પણ જણાવો.
30.નસીબથી મળીછે માનવ તણી જીંદગી તો એને સારી રીતે જીવી જાણો.
૩૧. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.
૩૨. બીજા નું માપ,મજાક કાઢશો નહિ
૩૩. શંકાશીલ બનવા કરતા વિશ્વાસને ધીરજ રાખતા શીખો .

Comments

Post a Comment

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...