"વીમા સપ્તાહ"ની ઊજવણી

ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં એલ.આઈ.સી.ઓફ ઈન્ડીયાની ઉમરેઠ બ્રાન્ચની પ્રેરણા અને સહયોગથી ૧લી સપ્ટેમ્બરના રોજ એલ.આઈ. સી.ના ૬૪મા સ્થાપના દિન, અને ૧લી સપ્ટેમ્બરથી  ૯ સપ્ટેમ્બર સુધી "વીમા સપ્તાહ"ની ઊજવણી અંતર્ગત શાળામાં વિવિધ અને અલગ અલગ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવ્યા હતાં.સમગ્ર ઉજવણીના ઈન્ચાર્જ અને સાંસ્કૃતિક સમિતિના કન્વીનરશ્રી કે.સી.ચૌધરીના માર્ગદર્શન અનુસાર ૮૦  વિધ્યાર્થીઓએ "સ્વચ્છતા અને વીમો એક જરૂરિયાત" વિષય પર ચિત્રો દોર્યા હતાં.વળી ૩૦ જેટલાં વિધ્યાર્થીઓએ "જીવન વીમાના ફાયદા" વિષે નિબંધ લખીને ઉજવણીને જીવંત બનાવી હતી. શાળાના શિક્ષકો શ્રી કે.બી.ગાંવિત, શ્રી વી.કે.પટેલ અને શ્રી એન.એચ.જાદવનો વ્યવસ્થા અને નિર્ણાયક તરીકે સહયોગ સાંપડ્યો હતો. એલ.આઈ.સી.,ઉમરેઠના બ્રાન્ચ મેનેજરશ્રી અંબેરસિંહ જે. કાર્પેન્ટર, તથા અન્ય પદાધિકારીશ્રીઓ શ્રી હિતેન્દ્રભાઈ ભાવસાર, શ્રી સંજયભાઈ વ્યાસ અને શ્રી ગોપાલભાઈ ભાવસારની ઉપસ્થિતિમાં વિજેતા તથા ભાગ લેનાર સૌ વિધ્યાર્થીઓને ઈનામો આપવાથી સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. ઉજવણી સમાપન સમારોહમાં અંતિમ દિને આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌનો આભાર માનતા સૌને JIC + LIC ના અજોડ સહયોગને વધાવીને, વીમાનું મહત્વ સમજી એને નિભાવવાની અપીલ કરી હતી. આમ આ સમગ્ર વીમા સપ્તાહની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.





























સંકલન અને રજૂઆત : 
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments

Post a Comment

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...