શિક્ષક દિન ઉજવણી...
સ્વયં શિક્ષક દિનની ઉજવણી
તા.૦૯-૦૯-૨૦૨૧ ગુરુવાર
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ ખાતે તા.૦૯-૦૯-૨૦૨૧ ને ગુરુવારના રોજ શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન ધ્વારા શાળાના શિક્ષિકા શ્રીમતી જયાબેન પટેલની રાહબારી હેઠળ તેમજ સમગ્ર સ્ટાફના સહકાર અને મહેનતથી શિક્ષક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એક દિવસ માટે આચાર્ય, સુપરવાઈઝર્સ, શિક્ષકો, ક્લાર્ક અને સેવકભાઈઓ બનીને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબદારી સ્વીકારીને શાળાની તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
કાર્યક્રમની શરૂઆત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના પ્રાર્થના હોલમાં એક દિવસ માટે બનેલા આચાર્યએ બધી વ્યવસ્થા કરી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ધ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાના પ્રતિજ્ઞાપત્રનું વાંચન સુપરવાઈઝર કુ.રાજલબેન ધ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ એક દિવસ માટે બનેલા આચાર્ય તળપદા આઝાદે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ,અભ્યાસ,શિક્ષકથી લઈને ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની સફર કેવી રીતે કરી એની વિસ્તૃત માહિતી આપીને, તેમના જન્મદિવસને સ્વયમ્ શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે તેવી સરસ માહિતી આપીને વિદ્યાર્થીઓંને શિક્ષકદિનના દિવસથી વાકેફ કર્યા હતા.ત્યાર પછી શાળાના કાયમી આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકભાઈઓ અને બહેનને જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેમણે ભેટ આપી સન્માનિત કર્યા હતા.ત્યારબાદ બધા શિક્ષકો એક દિવસના સાચા શિક્ષકો બની દરેક વિષયમાં રસ લઈને ખુબજ સારું શિક્ષકકાર્ય કરી રહ્યા હતા.જાણે તેઓ સાચેજ એક શિક્ષક હોય તેવા ભાવ સાથે શિક્ષણકાર્ય કરતાં હતા.આચાર્ય અને સુપરવાઈઝર દરેક વર્ગમાં શિક્ષકમિત્રો કેવું અધ્યાપન કરી રહ્યાં હતાં તેનું અવલોકન કરતાં હતા.જ્યાં ગેરશિસ્ત દેખાય ત્યાં ટકોર કરતાં હતા.એક દિવસનું શિક્ષણકાર્યનો બોજ સુચારુ,વ્યવહારુ તેમજ વિદ્યાર્થીના અભિગમને ધ્યાનમાં રાખી કરતાં હતા.શાળાના તમામ વિદ્યાથીઓએ એક દિવસના બનેલા શિક્ષકોને માન અને સહકાર આપ્યો હતો. ૪થા તાસમાં એકદિવસીય આચાર્યે બીજા દિવસની "ગણેશ ચતુર્થી"ની રજાની નોટીસ કાઢી હતી. ૮ માં તાસના અંતે અપ્લાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પાહાર બાદ એક દિવસ માટે બનેલ દરેક શિક્ષક ભાઈઓ અને બહેનોએ ફોટોગ્રાફ્સ પાડી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
એક દિવસીય શિક્ષકોના મૂલ્યાંકન માટે માધ્યમિક વિભાગમાંથી શ્રી પી.જે.પરમાર,શ્રી ડી.જી.પટેલ અને કે.સી.ચૌધરી, ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહમાંથી શ્રી પી.આર.રાવલ,શ્રી એન.એચ.જાદવ, શ્રી ડી.સી.રોહિત અને શ્રી આર.એ.પટેલ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહમાંથી શ્રી વી.બી.ભરવાડ, શ્રી એચ.એમ.પટેલ,શ્રી એન.એન.પટેલ અને શ્રી એચ.આઈ.સોલંકીએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. જેમાં... કુલ છ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
આમ આજનો દિવસ તમામ વિદ્યાર્થીઓમાં આનંદદાયક, ઉત્સાહપ્રેરક અને નવીન અનુભવો પૂરા પાડનાર બની રહ્યો હતો.
આજના દિવસે નીચેના વિદ્યાર્થીઓએ એમના નામ સામેની ફરજો બજાવી હતી.
આચાર્ય :- તળપદા આઝાદ ( ધો-૧૨-અ )
ઉપાચાર્ય:- સુનીલ ( ધો-૧૨-બ )
સુપરવાઈઝર:- કૃષિક ( માધ્યમિક વિભાગ )
સુપરવાઈઝર:- રાજલ ( ઉચ્ચતર માધ્યમિક વિભાગ)
ક્લાર્ક:- પાર્થ ( ધોરણ -11 )
સેવકભાઈઓ:- મિત,ધવલ,































































Comments
Post a Comment