વૈદિક ઘડિયાળ...


 વૈદિક ઘડિયાળ

નામના અર્થ સાથે

🕉️1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે;

બ્રહ્મ એક જ છે બે નથી.

🕉️2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે;

અશ્વિની કુમારો બે છે

🕉️3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: 

સત્વ રજસ્ અને તમસ્

🕉️4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;

ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ

🕉️5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;

પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન

🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે;

મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો

🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે;

કશ્યપ, અત્રી, ભારદ્વાજ,

વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ

🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;

અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ

🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;

પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ

🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે *दशदिशः*, જેનો અર્થ થાય દશ દિશાઓ;

પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ

🕉️11:00 ના સ્થાને લખેલું છે *रुद्राः* જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;

કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ

🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;

અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ

ભારતની મહાન સંસ્કૃતિ...

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...