આજરોજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ઉમરેઠ અને શાળાના એન.એસ.એસ વિભાગ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગેની પ્રાથમિક જાણકારી આપતું પ્રવચન શાળાની પ્રાર્થના સભા દરમિયાન યોજવામાં આવ્યું હતું. સી એચ સી ઉમરેઠના કાઉન્સિલીર શ્રીમતી રીનલબેન વાઘેલાએ એમની હળવી અને રમૂજભરી શૈલીમાં વિદ્યાથીઓને પોતાનું આરોગ્ય પોતાના હાથમાં છે એમ જણાવી સ્વાસ્થ્યપ્રદ ખોરાક, વ્યસનોને તિલાંજલિ, સારી ટેવો વગેરે પર માર્મિક ટકોર સાથે શિખામણ આપી હતી. શાળાના આચાર્યશ્રીએ એમનું શાબ્દિક અને એન.એસ.એસ.ના વિમેન કન્વીનર શ્રીમતી જયાબેન એમનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર શ્રી નયનભાઈએ આભારવિધિ કરી હતી.
Comments
Post a Comment