Posts

નબળા કે ખરાબ પરિણામથી નાસીપાસ ના થવું

Image
માર્ચ 2022 ના તમામ પરિણામ જાહેર થયાં છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે. રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ.(માર્કશીટનો ફોટો મૂકેલો છે) પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો. કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી...

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ એનાલિસીસ

Image
( માર્ચ 2022 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ એનાલિસીસ ) * ઓનલાઈન પરિણામ તા 12.5.22 * ઓફલાઇન પરિણામ તા 21.5.22 * પરિણામ વિતરણ તા 23.5.22 * બોર્ડનું પરિણામ 72.02 % * ગૃપ એ પરિણામ 78.40 % * ગૃપ બી પરિણામ 68.58 % * આણંદ જિલ્લાનું પરિણામ 62.60 % * આણંદ કેન્દ્રનું પરિણામ 59.95 % * શાળાનું પરિણામ 27.27 % કુલ વિદ્યાર્થીઓ 22 પરીક્ષામાં બેઠાં 22 પાસ 6 નાપાસ 16 * ત્રણ વિધાર્થીઓ બે વિષયમાં નાપાસ થયેલ હોવાથી જુલાઈ 2022 ની પૂરક પરીક્ષા આપી શકશે. *પ્રથમ ત્રણ નંબરો* 1. દવે સુનિલકુમાર ગોપાલભાઈ ( 419/650 ) 2. પરમાર મનીષાબેન ભલાભાઈ ( 385/650 ) 3. રાજપૂત મહાવીરસિંહ ભવાનીસિંહ ( 364/650 ) *વિષયવાર પરિણામ* કેમેસ્ટ્રી 22.72 % ફીઝીક્સ 22.27 % બાયોલોજી 36.84 % મેથ્સ્ 66.66 % અંગ્રેજી 90.90 % સંસ્કૃત 75.00 % કૉમ્યુટર 40.00 % * આમ આ વર્ષે શાળાનું પરિણામ ઘણું ઘણું જ નિરાશાજનક અને ચિંતાજનક આવેલ છે. કદાચ શાળાના ઈતિહાસમાં પ્રથમવાર આટલું ઓછું પરિણામ આવેલ છે. * તેમ છતાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને તથા સારું પરિણામ લાવનાર શિક્ષકોને શાળા પરિવાર વતી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. * અને નાપાસ થનાર વિદ્યાર્થીઓ હાર્દિ...

વેકેશન અંગે માર્ગદર્શન...

Image
  સુજ્ઞ વાલી તથા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠના આચાર્યશ્રીના નમસ્કાર...🙏 મિત્રો સરકારની સૂચના મુજબ શાળામાં તારીખ 9.5.22 થી ઉનાળાનું વેકેશન શરુ થતું હતું.પરંતુ વિદ્યાર્થીઓને નવીન ધોરણના પાઠય પુસ્તકો, વર્ગો, અભ્યાસક્રમ, શિક્ષકશ્રીઓ અને શાળાના વાતાવરણથી પરિચિત થાય એ હેતુઓ સાથે તારીખ 9.5.22 થી તારીખ 14.5.22 સુધી ધોરણ 10 અને ધોરણ 12 ના વધારાના વર્ગો શાળામાં ગોઠવવામાં આવ્યા હતાં.અને રોજ 8.00 થી 10 30 સુધી 4 તાસનું શૈક્ષણિક કાર્ય થતું હતું. પરંતુ અમારા આ આયોજનને આપના તરફથી જોઈએ એવો પ્રતિભાવ મળ્યો નથી.આશા છે કે જે વિદ્યાર્થીઓએ આ વર્ગોનો લાભ લીધો છે એમને ચોક્કસ લાભ થશે જ. વાત રહી વેકેશનની... આ વેકેશન તારીખ 12.6.22 ના રોજ પૂર્ણ થશે અને શાળાઓ તારીખ 13.6.22 થી પુન: શરૂ થશે.એ દરમિયાન આપના પુત્ર કે પુત્રી માટે કેટલાંક ઉપયોગી સૂચનો મોકલાવું છું.જેનો આપના પાલ્ય માટે યોગ્ય ઉપયોગ કરશો... *વેકેશન ગૃહકાર્ય* આપણું બાળક લગભગ  દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપ...

SSC/ HSC માર્ચ 22 પરીક્ષાઓનો પ્રારંભ...

Image
 

પરીક્ષાની પૂર્વ સંધ્યાએ...

Image
( ગયા વર્ષે તારીખ 28.3.2022 સોમવારથી) ( ગયા વર્ષે તારીખ 14.03.2023 મંગળવારથી ) તારીખ 11.3.2024 સોમવારથી આપ સૌની બોર્ડ એકઝામ શરૂ થઈ રહી છે, ત્યારે આપ સૌને પરીક્ષાની શુભેચ્છાઓ સહ શુભસંદેશ... Best of luck બધા જ દીકરા - દીકરીઓને ખુબ ખુબ શુભેચ્છા... આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે.  માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ... 💐💐💐💐💐💐                                  •••1••• કેટલીક ટિપ્સ... ૧. તમારો વિશ્વાસ દ્રઢ રાખો. ૨. પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.એની એક વેરીફાઈડ ઝેરોક્ષ કોપી કઢાવીને ઘરે રાખો. ૩. કાંડા ઘડિયાળ અચૂક લઈ જાઓ. ૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો. ૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો. ૬. હોલ ટિકિટની સાચવણી રાખો. ૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો. ૮. Exam પેડ સાથે રાખો. ૯.કમ્પાસમાં પૂરતાં અને સારા સાધનો રાખો.. બુઠ્ઠા અને જૂના સાધનો તકલીફ કરશે.  ૧૦. OMR શીટ...

કાનૂની શિક્ષણ શિબિર...

Image
  ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી ગર્લ્સ ઈન્સ્ટિટયુશનમાં આજે શાળાની બાલિકાઓ માટે કાનૂની શિક્ષણ અને જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો. ઉમરેઠની કોર્ટમાંથી એક્ઝિક્યુટિવ જજ સાહેબો શ્રી લીમ્બચિયા સાહેબ અને તથા જાની સાહેબ શાળાની બાળાઓમાં જાગૃતિ માર્ગદર્શન માટે પધાર્યા હતા.બન્ને જજ સાહેબશ્રીઓએ વારાફરતી એમની આગવી શૈલીમાં પ્રવચન દ્વારા સ્ત્રીઓ,યુવતીઓ, મહિલાઓ,બાલિકાઓ માટે કયા કયા કાયદાઓ છે, કઈ કઈ કલમો છે તેમજ શોષણથી કેવી રીતે બચી શકાય, અપરાધથી કેવી રીતે બચી શકાય અને ભોગ બન્યા હોય તો તેની ફરિયાદ ક્યાં કરી શકાય વગેરે મુદ્દાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે બોયઝ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર પણ વિધાર્થીનિઓને પ્રોત્સાહિત કરવાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના આચાર્ય શ્રીમતી ગીતાબેન પરમારે બંને જ મિત્રોનો આભાર માન્યો હતો.